PATAN | By Akhand Bharat Team | Published:

શ્રી વઢીયાર આહીર કેળવણી મંડળ દ્વારા ભવ્ય સમાજ અર્પણ કાર્યકમ યોજાયો
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શ્રી વઢીયાર આહીર કેળવણી મંડળ દ્વારા ભવ્ય સમાજ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પેથલજીભાઈ નાથાભાઈ ચાવડા કન્યા સ્કૂલ અને શ્રી જશુભાઈ ધનાભાઈ બારડ મુરલીધર વિદ્યાલયના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.તા. ૨૮/૦૩/૨૦૨૬ ના રોજ શનિવારે રાધનપુરના આહીર ર્બોડિંગ, મસાલી રોડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન આશીર્વચન આપવા માટે પરમ પૂજ્ય મહંત શ્રી પ્રભુદાસ બાપુ (માતુશ્રી રામબાઈ માં ધામ) તથા આઈ શ્રી મુળી માં મોગલ ધામ તારણા હાજર રહ્યા હતા.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા (પ્રમુખ, ગુજરાત આહીર સમાજ, પૂર્વ કેબિનેટ મંત્રી) હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિતિ નોંધાવી હતી. ઉપરાંત ગુજરાત સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થાના આદ્યસ્થાપક ભુરાભાઈ મહાદેવભાઈ આહીર (ગોતરકા), ભોજન દાતા બાબુભાઈ રામાભાઈ આહીર (ધોળકડા), તથા વઢીયાર આહિર કેળવણી મંડળ ના પ્રમુખ હરદાસભાઈ આહીર સહિતના આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ભવ્યતા આપી હતી.આ પ્રસંગે સમાજના શિક્ષણ ક્ષેત્રે વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. નવા શૈક્ષણિક સંસ્થાઓના લોકાર્પણથી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.-અખંડ ભારત