VADODARA | By Akhand Bharat Team | Published:

શ્રી બળીયાદેવ હાઇસ્કુલ પોરમાં જાગૃતિ સાથે સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો
શ્રી બળીયાદેવ હાઇસ્કુલ પોરમાં બીઆઈએસ મંત્રાલય અંતર્ગત નાગરિક જાગૃતતા કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્યશ્રી ભરતકુમાર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના બીઆઈએસ મંત્રાલય અંતર્ગત ભારતીય નાગરિકોમાં માપદંડ વિશે વધુમાં વધુ માહિતી પ્રાપ્ત થાય તે હેતુથી શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાંથી લગભગ ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ બીઆઈએસના લોગો તથા અન્ય ચિન્હો વિશે માહિતી આપવામાં આવી હતી અને સ્ટાન્ડર્ડ ક્લબ કઈ રીતે કામગીરી કરે છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તેને આધારે વિદ્યાર્થીઓમાં વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.આ કાર્યક્રમ સ્પર્ધાના રૂપે કરવામાં આવી હતી. જેમાં પ્રથમ, દ્વિતિય, તૃતિય અને ચતુર્થ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓને કન્વીનર શ્રીમતિ રશ્મિકાબેન પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને સરકારે નક્કી કરેલ દરેક બાબતના માપદંડો વિશે ખૂબ જ સુંદર માહિતી આપી હતી. -અખંડ ભારત