સાબરકાંઠા, આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થતા જ જિલ્લામાં રાજકીય પક્ષો તેમજ વિવિધ યોજનાઓ અંગેની જાહેરખબર માટે લગાવવામાં આવેલા પોસ્ટર, બેનરો, દીવાલ પરના લખાણ તથા અન્ય પ્રચાર સામગ્રી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ અભિયાન હાથ ધરી સરકારી મિલકત પર લગાવવામાં આવેલી પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાંથી કુલ ૪૮૫ પોસ્ટર, બેનરો, દીવાલ પરના લખાણ તથા અન્ય સામગ્રી દૂર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.નગરપાલિકા તથા તાલુકા પંચાયત મુજબની વિગતો મુજબ હિંમતનગર નગરપાલિકામાંથી ૧૧૯ દીવાલ લખાણ, ૧૦ પોસ્ટર, ૨ બેનર અને ૩૦ અન્ય સામગ્રી દૂર કરવામાં આવી હતી. વડાલી નગરપાલિકામાંથી ૨૯ દીવાલ લખાણ, ૦૫ પોસ્ટર અને ૦૧ અન્ય, ઈડર નગરપાલિકામાંથી ૦૭ પોસ્ટર, ૦૬ બેનર અને ૦૧ અન્ય, તેમજ પ્રાંતિજ નગરપાલિકામાંથી ૦૫ પોસ્ટર અને ૦૨ બેનર દૂર કરવામાં આવ્યા હતા.તાલુકા પંચાયત સ્તરે હિંમતનગર તાલુકામાંથી ૧૫ પોસ્ટર, ૦૮ બેનર અને ૩૧ અન્ય સામગ્રી, ખેડબ્રહ્મા તાલુકામાંથી ૦૬ દીવાલ લખાણ, ૦૭ પોસ્ટર, ૦૫ બેનર અને ૦૨ અન્ય, પ્રાંતિજ તાલુકામાંથી ૧૫ પોસ્ટર, ૧૬ બેનર અને ૦૯ અન્ય સામગ્રી દૂર કરવામાં આવી હતી.વિજયનગર તાલુકામાંથી ૦૪ દીવાલ લખાણ અને ૦૬ અન્ય, વડાલી તાલુકામાંથી ૨૬ પોસ્ટર, ૦૫ બેનર અને ૦૭ અન્ય, ઈડર તાલુકામાંથી ૨૯ પોસ્ટર, ૧૦ બેનર અને ૨૨ અન્ય, તલોદ તાલુકામાંથી ૧૬ પોસ્ટર તેમજ પોશીના તાલુકામાંથી ૨૨ દીવાલ લખાણ, ૦૪ પોસ્ટર, ૦૨ બેનર અને ૧૬ અન્ય સામગ્રી દૂર કરવામાં આવી હતી.આમ જિલ્લામાં કુલ ૧૮૦ દીવાલ લખાણ, ૧૨૪ પોસ્ટર, ૫૬ બેનર અને ૧૨૫ અન્ય પ્રચાર સામગ્રી મળી કુલ ૪૮૫ વસ્તુઓ સરકારી મિલકત પરથી દૂર કરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આચારસંહિતાનું કડક પાલન થાય તે માટે આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેમ પણ જણાવાયું છે.