BOTAD | By Akhand Bharat Team | Published:

રાજપરાથી જોટીંગડા ગામ તરફ જવાના માર્ગના નવિનીકરણથી સ્થાનિકોમાં ખુશી
બોટાદ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત રૂ. ૧૪૦ લાખના ખર્ચે બોટાદ તાલુકાના રાજપરા ગામથી જોટીંગડા જવાના કાચા રસ્તા પર ડામરકામ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ રસ્તાના નિર્માણથી રાજપરાના ગ્રામજનોને તથા વટેમાર્ગુઓને પરિવહન માટે સરળતા રહેશે.જેને લઈને સ્થાનિકોમાં ખુશી પ્રવર્તિ છે.-અખંડ ભારત