BOTAD | By Akhand Bharat Team | Published:
બોટાદમાં ટ્રાફીક/ભારે વાહન/ર્પાકિંગ /વન-વે સહિત ટ્રાફિક સમસ્યાને નિવારવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
બોટાદ શહે૨માં ટ્રાફીક સમસ્યા અને લોકોની અવર જવર માટે ટુ-વ્હીલ તથા ફોર વ્હીલ વાહનોનો ઉત્તરોત્તર વધારો થવાના કા૨ણે બોટાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને લેતા સાળંગપુરથી પાળીયાદ ત૨ફ જવાના માર્ગે કે જે સાળંગપુર રોડ ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસથી મસ્તરામ મંદિર - સતવારા બોડીંગ થઈ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલ પંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ જાહેરનામુ બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ.ઝણકાત દ્વારા બહાર પાડવામાં આવે છે. આ રોડ પરથી આવતાં ટ્રાફીકને ફકત સાળંગપુર રોડ પરથી પ્રવેશ માટે જાહેર કરવો તથા તેવી જ રીતે પાળીયાદ તરફથી સાળંગપુર તરફ જતાં વાહનો માટે હવેલી ચોકથી મોબાઈલ બજાર, કરમશી ભવાન કિરાણા સ્ટોર (તરાના પાન)થી ટાવર રોડ સુધી રૂટ એકમાર્ગીય જાહેર ક૨વો ખૂબ જરૂરી જણાય છે. ઉપરાંત પીક-અવર્સ દ૨મ્યાન એટલે કે સવારના ૧૦ઃ૦૦ કલાકથી ૧૪ઃ૦૦ કલાક તથા સાંજે ૧૬ઃ૦૦ કલાક થી ૨૦ઃ૦૦ કલાક સુધી ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ જાહેર કરવો જરૂરી જણાય છે.આ જાહેરનામું તા.૨૧/૦૩/૨૦૨૬થી તા.૨૦/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.ઃઅખંડ ભારત